તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબિતા પછળ ઘેલા થતાં જેઠાલાલ અને બબિતા વચ્ચે જોરદાર ઝઘડો થાય છે. વાત એટલી વણસે છે કે જેઠાલાલે આપેલો પુષ્પગુચ્છ પણ બબિતા ઘરની બહાર ફેંકી દે છે.
બન્યું એવું કે બબિતા અને ઐયરને તાત્કાલિક અમુક ટેબ્લેટ્સ જોઇતા હતા. જેઠાલાલ ચોક્કસ મદદ કરશે એમ વિચારી બબિતા જેઠાલાલને ટેબ્લેટ્સ લાવવા માટે વિનંતી કરે છે. સંજોગોવશાત્ જેઠાલાલ ટેબ્લેટ્સ બબિતાને પહોંચાડી શકતા નથી. આને કારણે બબિતા જેઠાલાલ પર ધુઆંફુઆં થાય છે અને જેઠાલાલને ઘરની બહાર કાઢી મુકે છે. આટલું ઓછું હોય તેમ સૉરી કહેવા માટે ફૂલોનો જે ગુલદસ્તો આપ્યો હતો એ પણ બબિતા ઘરની બહાર ફેંકી દે છે. હવે? કાયમ બબિતાને અછોવાના કરતા જેઠાલાલ પણ બબિતા પર વળતો પ્રહાર કરે છે કે બંને વચ્ચે સુલેહ થાય છે? આટલા વરસોમાં કદાચ પહેલીવાર બબિતાના રોષનો ભોગ બનેલા જેઠાલાલ હવે શું કરશે એની મજેદાર વાત તારક મહેતા કા ઊલ્ટા ચશ્માના આગામી એપિસોડમાં જોવા મળશે.