બૉલિવુડના જાણીતા સર્જક હંસલ મહેતાની નેટફ્લિક્સ પર પ્રસારિત થનારી ઈગીમી વેબ સિરીઝ જિગ્ના વોરાનાં પુસ્ક બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાયખલા : માય ડેઝ ઇન પ્રિઝન પર આધારિત છે. એક મહત્ત્વાકાંક્ષી ક્રાઇમ રિપોર્ટર જાગૃતિ પાઠકના જીવનમાં બનેલી ઘટનાઓ પર આધારિત છે. જાગૃતિ પાઠકની જિંદગીમાં ત્યારે સુનામી આવે છે જ્યારે એક સાથી પત્રકાર જયદેબ સેનની હત્યામાં સામેલ હોવાનો આરોપ મુકવામાં આવ્યા બાદ એને જેલમાં જવું પડે છે. અને જેલમાં એણે એવા લોકો સાથે રહેવાનો વારો આવે છે જેમના વિશે એણે રિપોર્ટિંગ કર્યું હતું. જાણવા મળ્યા મુજબ સિરીઝમાં જાગૃતિ પાઠકની ભૂમિકા કરિશ્મા તન્ના ભજવશે.
સિરીઝમાં ક્રાઇમ રિપોર્ટર જાગૃતિ પાઠકનું પાત્ર કરિશ્મા તન્ના ભજવે એવી શક્યતા છે
મૂળ સૌરાષ્ટ્રની પણ મુંબઈમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે એક અંગ્રેજી અખબારમાં કામ કરતી મહત્તાકાંક્ષી જિગ્ના વોરાને એક સાથી પત્રકારની હત્યાના કેસમાં આરોપી બનાવવામાં આવે છે. લાંબા અરસા સુધી જેલમાં રહેલી જિગ્નાને કોર્ટે નિર્દોષ હોવાનું જણાવી મુક્ત કરી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ જિગ્નાએ એના જેલવાસના અનુભવોને બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાયખલા : માય ડેઝ ઇન પ્રિઝનમાં વર્ણવ્યા છે.
સિરીઝ અંગે જણાવતા હંસલ મહેતા કહે છે કે, જિગ્ના વોરાના પુસ્તક બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાયખલા : માય ડેઝ ઇન પ્રિઝન વાચ્યા બાદ મને આ સત્યઘટનાત્મક કથાને પરદા પર જીવંત કરવા મજબૂર કર્યો. અમે એનું ફિલ્માંકન શરૂ કરી દીધું છે અને મને આનંદ એ વાતનો છે કે સિરીઝથી હું પહેલીવાર નેટફ્લિક્સ માટે કામ કરી રહ્યો છું. એટલું જ નહીં, એક સુંદર અને ભાવનાત્મક કથા ધરાવતી સ્કૂપ નેટફ્લિક્સના માધ્યમથી દુનિયાભરના દર્શકો સુધી પહોંચી શકશે. કો-ક્રિએટર મૃણ્મયી લાગૂ અને નિર્માતા માચિ શોટ્સના સહયોગમાં હું આ સિરીઝ બનાવી રહ્યો છું.