નાસિક પુરોહિત સંઘના પ્રમુખે તમામ ક્રિયાકર્મ કરાવ્યા હતા
કોકિલ કંઠી ગાયિકા લતા મંગેશકરનું ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના દુનિયાને અલવિદા કહ્યું. ત્યારબાદ આજે (૧૦ ફેબ્રુઆરી) તેમના અસ્થીનું નાસિક ખાતે ગોદાવરી નદી કિનારે આવેલા રામકુંડમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા. દિવંગત ગાયિકાની બહેન ઉષા, ભત્રીજો આદિત્ય મંગેશકર, પરિવારના અન્ય સભ્યો સવારે દસ વાગ્યે રામકુંડ પહોંચ્યા હતા વિધિવત અસ્થિ વિસર્જન કર્યું હતું.
અનેક નાસિકવસીઓ પણ તેમની પ્રિય ગાયિકાને શ્રધ્ધાંજલિ અર્પવા રામકુંડ પાસેના ગોડા ઘાટ પહોંચી ગયા હતા. જોકે તમામ ક્રિયાકર્મ શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યા હતા.
અસ્થિ વિસર્જનની વિધિ નાસિક પુરોહિત સંઘના પ્રમુખ સતીશ શુક્લાએ કરાવી હતી. નાસિક મહાપાલિકાના કમિશ્નર કૈલાશ જાધવ અને અમુક સ્થાનિક નેતાઓ આ પ્રસંગે ઉપસ્થત રહ્યા હતા.