બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ
સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન સર્જિત, ચિત્રક શાહ -કિરણ માલવણકર પ્રસ્તુત, પ્રવીણ સોલંકી લિખિત, સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત અભિનિત નોન સ્ટોપ હાસ્ય તોફાન ! અન્ય કલાકારો તેજલ વ્યાસ, હિમાંશુ ઉપાધ્યાય, જીતેન્દ્ર સુમરા, જ્યોથિકા શાહ, રિદ્ધિ વોરા, સમીર ગુરવ, રામ મિલન રજાક, તેજસ શાહ, જય દેસાઈ અને નિલેશ જોષી કલા: સુભાષ આસર, પ્રચાર: દિપક સોમૈયા આ રવિવાર તારીખ ૨૮ ઓગસ્ટે રાત્રે ૯ પ્રબોધનકાર ઠાકરે હોલ બોરીવલી ખાતે ભજવાશે અને શનિવાર તારીખ ૧૦મી સપ્ટેમ્બર રાત્રે ૯ ગડકરી હોલ, થાણા ખાતે ભજવાશે
ઈન ઈવનિંગ્સ વીથ ક્રિષ્ના
નાટ્ય સૌરભ પ્રસ્તુત કૃષ્ણલીલાની ભવ્ય ઝાંખી કરાવતો ધ બિગેસ્ટ શૉ ઑન શ્રીકૃષ્ણ, લખલૂંટ ખર્ચે તૈયાર થયેલો ભગવાન શ્રીકૃષ્ણના ચાહકો માટે ક્યારેય ન ભૂલી શકે એવો યાદગાર અનુભવ…ન ચૂકવા જેવો એક ભવ્ય આલાગ્રાન્ડ ગીત-સંગીત નૃત્ય નો અવ્વલ દરજ્જાનો કાર્યક્રમના નિર્માતા: હેમલ અશોક ઠક્કર છે, લેખન અને પ્રવક્તા કાજલ ઓઝા વૈદ્ય છે, સ્વર: આલાપ દેસાઈ અને ગાર્ગી વોરા, આ કાર્યક્રમ દિગ્દર્શન કેદાર ભગતે કર્યું છે, કોરિયોગ્રાફી શિવાંગી ચિતલીયા, કોસ્ચ્યુમ ડિઝાઈન ખુશ્બુ મુલાની ઠક્કરની છે. પ્રેક્ષકોની પ્રચંડ માંગણીને માન આપીને સ્પેશિયલ ગુજરાતીમાં આ ભવ્ય કાર્યક્રમ નું આયોજન રવિવાર ૧૧ સપ્ટેમ્બર રાત્રે ૯ અસ્પી ઓડિટોરિયમ ખાતે ૧૭મી સપ્ટેમ્બરે સાંજે ૭.૩૦ કલાકે ભારતીય વિદ્યા ભવન ચોપાટી ખાતે ભજવાશે
એક રૂમ રસોડું
સ્પર્શ પ્રોડક્શનું ફેમિલી કોમેડી નાટક ઉમેશ શુક્લ, સૌમ્ય જોશી, ચેતન ગાંધી નિર્મિત, ચિત્રક શાહ, કિરણ માલવણકર પ્રસ્તુત, જયેશ મહેતા લિખિત, ઉમેશ શુક્લા દિગ્દર્શિત (ઓમાય ગોડ અને 102 નોટ આઉટ ફિલ્મના દિગ્દર્શક)નું સત્ય ઘટના પર આધારિત હાસ્યના ડબલ ડોઝ સાથેનું ભરપૂર મનોરંજન કલાકારો જયેશ મોરે, રિદ્ધિ નાયક શુક્લ, નિલેશ ભટ્ટ, નેહા પકાઈ, રૈવત/ જયવર્ધન, હર્ષ વ્યાસ, યસ ગજ્જર, મનીષ, લોપા શાહ, આકાશ, અંકિત અને કમલેશ ઓઝા. કલા: પ્રસાદ વાલાવલકર, પ્રકાશ: જીતુ જોષી, પ્રચાર: દિપક સોમૈયા રવિવાર તા. ૪ સપ્ટેમ્બરે સાંજે ૭.૩૦ તેજપાલ હોલ ખાતે ૧૦૦ માં પ્રયોગની ઉજવણી કરશે
સફરજન
અમરદીપ સર્જન કોડમંત્ર નાટકની અપ્રતિમ સફળતા બાદ આ ત્રિપુટીનુ ગુજરાતીઓને ગૌરવ થાય તેવું દાયકાનું અન્ય સર્વશ્રેષ્ઠ નાટક ભરત નારાયણદાસ ઠક્કર નિર્મિત સ્નેહા દેસાઈ લિખિત રાજેશ જોશી દિગ્દર્શિત પૃથ્વી પરના સ્વર્ગ અને રંગભૂમિ પર રજૂ કરતું સર્વ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરતુ નાટક એટલે ‘સફરજન’ નાટક ના કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ, વૈભવી ઉપાધ્યાય, પરાગ શાહ આ વિક્રમ મહેતા શ્યામ માખેચા સ્વપ્નિલ ઘુુલપ, પ્રતીક જોશી અતુલ શાશ્વત દીપમ મહેતા અને આનંદ ગોરડીયા સંગીત: સચિન જીગર કલા: સંદેશ બેન્દ્રે વસ્ત્ર પરિકલ્પના: તારા દેસાઈ પ્રકાશ: ભૌતિષ વ્યાસ સહ દિગ્દર્શક: નિહાર જોશી, પ્રચાર દિપક સોમૈયા. રવિવાર તા ૪ સપ્ટેમ્બરે રાત્રે ૯ પ્રબોધન ઠાકોર બોરીવલી ખાતે ભજવાશે