ટિપ્સ દ્વારા જીગરદાન ગઢવીએ ગાયેલાં ભજન ભેળી રહેજે રેને તાજેતરમાં રિલીઝ કર્યું છે. મા મોગલ સાથે તાદાત્મ્ય સાધવા માટે ભેળી રહેજે રે એક આધ્યાત્મિક માધ્યમ હોવાનું ભજન સાંભળનારાઓનું કહેવું છે.
ટિપ્સ મ્યુઝિકના કુમાર તૌરાનીનું કહેવું છે કે ગીતોની પસંદગી અમે શ્રોતાઓના રસ-રૂચિને અનુરૂપ કરીએ છીએ. એ સાથે અમે તૈયાર કરેલા દરેક રસનાં ગીતો તમામ સ્તરના શ્રોતાઓ સુધી પહોંચે એનું ધ્યાન રાખીએ છીએ. એટલું જ નહીં, સમયની સાથે ગીત-સંગીતમાં યોગ્ય પરિવર્તનને પણ અવકાશ આપીએ છીએ. જીગરદાન ગઢવીએ ગાયેલું ભેળી રહેજે રે પણ આવું જ એક ભક્તિમય ગીત છે.
તો ભેળી રહેજે રેના ગાયક-કમ્પોઝર જીગરદાન ગઢવી કહે છે કે, આ ગીત કહો કે ભજન સાંભળતાની સાથે તમારામાં રહેલી તમામ ચિંતા, આશંકાઓ દૂર થવાની સાથે મન પ્રફુલ્લિત થાય છે. ગીતની ધૂન અને શબ્દો ચોદિશામાં સકારાત્મકતા ફેલાવે છે.
ગીત સાંભળવા લિન્ક પર ક્લિક કરો
https://www.youtube.com/watch?v=JZQSCgP9s84