મંદિર વહી બનાયેંગેની વરસોની તપસ્યા અયોધ્યા ખાતે સાકાર થઈ રહી છે ત્યારે બોલિવુડના જાણીતાં ગાયિકા પૂનમ ભાટિયાએ અયોધ્યા રામ મંદિર પર બની રહેલું ગીત ગાઇ રામ ભક્તોને ખુશ કરી દીધા છે.
પૂનમનું કહેવું છે કે હું કોઈ પણ રીતે ભગવાન રામના કામમાં આવી શકી એ મારું સદભાગ્ય ગણાય .
દરેક પ્રકારનાં ગીતો ગાઈ ચૂકેલી પૂનમ વરસોથી બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર છે. આનંદ રાજ આનંદ, એ. આર. રહેમાન, લક્ષ્મણ પવન, બાબુલ સુપ્રિયો, ઉદિત નારાયણ સાથે કામ કરી ચૂકેલી ગાયિકા પચાસથી વધુ હિન્દી, ગુજરાતી, મરાઠી ફિલ્મોમાં ગીતો ગાઈ ચૂકી છે.
પાર્શ્વગાયનની સાથે પૂનમ દેશ વિદેશમાં અનેક સ્ટેજ શો કરી ચૂકી છે.