તમે કોઈને મદદ કરવાના આશયથી કોઈ પરિચિતને આર્થિક સહાય કરી હોય…
એ વ્યક્તિની નાણાં ભીડના કપરા સમયે
આર્થિક કટોકટીના કાળમાં પૈસાની ભીંસના સમયે તમે કરેલી મદદનો ઉપકાર માનવો તો દૂર…
તમારું માન-સન્માન જાળવવાની વાત તો છોડો પણ એ લીધેલું ધન પાછું ન આપવું અને ઉપરથી તમારા વિશે સમાજમાં જાત જાતની નિંદા કરનારને શુ તમે માફ કરી શકશો?
૧૦૦માંથી ૯૯નો જવાબ નકારમાં હશે કિંતુ એકનો ઉત્તર હા હશે નક્કી એ પરમ માનવી જૈન હશે.
અપરાધ, ગુનો, દોષ ગમે તેટલો નાનો મોટો હોય પણ એને મોટા દિલથી ક્ષમા કરી હસતા મોઢે સામેની વ્યક્તિને એની મર્યાદાઓ સાથે સ્વીકારવો એ કોઈ સામન્ય કક્ષાના માનવી માટે સરળ નથી પણ જો આપણે આસપાસ નજર કરીશું તો આપણી આસપાસની દિનચર્યા દરમિયાન આપણા પરિચિત જૈન સમાજના ભાઈઓ તથા બહેનોમાં આ સદગુણ સહજ ભાવે તમે હંમેશા જોઈ/અનુભવી શકશો….
શા માટે?
કેમ કે આધુનિક સમાજ વ્યવસ્થામાં પણ આ સદગુણ શીખવા/કેળવવાની એવી કોઈ તાલીમ વ્યવસ્થા નથી જયાં તમે આ સદગુણ જોઈ, જાણી/શીખી શકો.
કિંતુ જો તમે ખૂબ નિકટતાથી દ્રષ્ટિ કરશો તો તમે જાણી શકશો કે આ સદગુણ પ્રાપ્તિ અર્થે મનુષ્ય પોતાના જ્ન્મથી લઈ આજીવન જૈન ધર્મની જીવનશૈલીમાંથી પ્રેરણા લઈ જીવન જીવવા પ્રયત્ન કરે તો આ અને આના જેવી ઘણી બધી ઉચ્ચ કક્ષાની ઉપલબ્ધિઓ માનવી સરળતાથી પ્રાપ્ત કરી શકે છે…
આવી મહત્વની સુંદર વાત આપણી સમક્ષ લઈને આવી રહ્યું છે ટૂંક સમયમાં ભવ્ય રજૂ થઈ રહેલ ગુજરાતી ચલચિત્ર ‘નવકાર મંત્ર મહાશક્તિ’
શાશ્વત તીર્થ સ્થાન પાલીતાણાના સર્વ કોઈ નિત્ય દર્શન કરી પુણ્યનો લાભ લઇ શકે એ હેતુ નવકાર મંત્ર મહાશક્તિનું આ ભક્તિ ગીત સર્વ પુણ્યશાળીઓને અર્પણ કરીએ છીએ.
ગીત જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો