ગજોધર ભૈયા જેવા મજેદાર કેરેક્ટરને કેન્દ્રમાં રાખી દર્શકોનું મનોરંજન કરતા કૉમેડીના કિંગ એવા રાજુ શ્રીવાસ્તવ છેલ્લા બે અઠવાડિયાથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દેશભરના તેમને પ્રેમ કરનારા ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ અંગે આવેલી અમંગળ વાતો ખોટી પુરવાર થઈ છે. અને હવે તેમની તબિયત સુધારા પર હોવાના સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં શેખર સુમને પણ ટ્વીટ કરી કૉમેડિનની તબિયતની જાણકારી આપી હતી.
શેખર સુમને ટ્વીટ કરીને જણાવ્યું કે રાજુ શ્રીવાસ્તવ લગભગ ક્રિટિકલ કન્ડિશનમાંથી બહાર આવી ગયા છે અને આજે તેમની તબિયત ઘણી સારી છે. શ્રેષ્ઠ ન્યુરો સર્જન તેમની સારવાર કરી રહ્યા છે. તેમના અવયવો સામાન્યપણે કાર્ય કરી રહ્યા છે, પણ હજુ સુધી તેઓ ભાનમાં આવ્યા નથી. ડૉક્ટર્સનું કહેવું છે કે તેમનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરી રહ્યુ છે. આપણા સૌની પ્રાર્થના ઇશ્વરે સાંભળી છે. હર હર મહાદેવ.
તો રાજુ શ્રીવાસ્તવના મિત્ર અને વિખ્યાત કેડિયાન સુનિલ પાલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જે માણસ સમગ્ર દુનિયાને હસાવતો હોય એ આટલો સિરિયસ રહી શકે નહીં. એ ફાઇટર છે, લડત આપવામાં માને છે, એ જરૂર પાછો આવશે.