ચુકાદો આવ્યા બાદ સૂરજ પંચોલીનું રિએક્શન, સત્યની હંમેશા જીત થાય છે.
આખરે દસ વરસ બાદ જિયા ખાન આત્મહત્યા મામલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. કોર્ટે સૂરજ પંચોલીને તમામ આરોપમાંથી મુક્ત કર્યો હતો.
જિયા ખાન આત્મહત્યા મામલે પોતાના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ સૂરજ પંચોલીનું રિએક્શન આવ્યું હતું. એણે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું, સત્યની હંમેશા જીત થાય છે.
બૉલિવુડની અભિનેત્રી જિયા ખાન મુંબઈ સ્થિત એના ઘરે 3 જૂન, 2013ના મૃત વસ્થામાં મળી આવી હતી. આ મામલે સીબીઆઈની સ્પેશિલ કોર્ટે આજે લગભગ દસ વરસે સુકાદો આપ્યો હતો. સૂરજ પંચલી પર જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આક્ષેપ હતો. કોર્ટે આજે આપેલા ચુકાદામાં સૂરજ પંચોલીને નિર્દોષ હોવાનું જાહેર કર્યું હતું. કોર્ટે ચુકાદો આપ્યો એ સમયે જિયાની માતા રાબિયા પણ ઉપસ્થિત હતી.
કોર્ટ એનો ચુકાદો આપે એ અગાઉ રાબિયાય ખાને એમના વકીલ દ્વારા એક અરજી કરી હતી. જોકે કોર્ટે રાબિયા ખાનની અરજીને ધ્યાનમાં લીધા વિના ચુકાદો આપ્યો અને સૂરજ પંચોલીને જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ અગાઉ મુંબઈ પોલીસ કરી રહી હતી. જોકે જિયાની માતા રાબિયા ખાનની અરજી બાદ કોર્ટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો.