અબ્દુલ ગોકુળધામ સોસાયટીના તમામ ઘરોમાં સોસાયટીના બિલની સાથે એની દુકાનના બિલ પણ આપવા જાય છે. પણ મુસીબતની શરૂઆત ત્યાર થાય છે જ્યારે બિલ ચેક કર્યા બાદ બધાને જાણ થાય છે કે એક મહિના પહેલા દૂધના ભાવમાં પ્રતિ લીટર પાંચ રૂપિયાનો વધારો થયો છે. બધા એ વાતે નારાજ છે કે અબ્દુલે આ વાત એક મહિના પછી કેમ જણાવી.
સોસાયટીના તમામ સભ્યો દુકાને જાય છે કે તેઓ અબ્દુલને મળી દૂધનો ભાવ ઓછો કરાવી શકે. દલીલોના અંતે અબ્દુલ કહે છે કે એ એને મળતું કમિશન દૂધના ભાવમાંથી ઓછું કરી દેશે. એ સાથે સોસાયટીના સભ્યોને કહે પણ છે કે બજારમાં જઈ દૂધના ભાવની જાણકારી મેળવે.
હવે? ગોકુળધામવાસીઓ દૂધના અન્ય સપ્લાયર પાસે જઈ ભાવની જાણકારી મેળવે છે? જો આમ થયું તો અબ્દુલ સાથેના તેમના સંબંધો પર અસર પડશે ખરી?