બોલીવુડ સ્ટાર વિકી કૌશલ અને કેટરીના કૈફનાં લગ્ન સવાઈ માધોપુર જિલ્લામાં આવેલા સિકસ સેન્સસ ફોર્ટ બરવાલા ખાતે યોજાઇ રહ્યાના સમાચાર ચમકી રહ્યા છે. એવામાં રાજસ્થાનના વકીલ નૈત્રબિંદ સિંહ જાદોને જિલ્લા પ્રશાસનમાં ફરિયાદ નોંધાવી છે કે ચૌથ માતા મંદિર જતો રસ્તો ૬ ડિસેમ્બરથી બંધ છે.
મળતા અહેવાલ મુજબ, એડવોકેટ જાદોને લગ્ન સ્થળના મેનેજમેન્ટ, સિક્સ સેન્સસ ફોર્ટ બરવાળા, કેટરીના કૈફ, વિકી કૌશલ અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વકીલે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તેમને લગ્ન સામે કોઈ વિરોધ નથી. પરંતુ લગ્નને કારણે મંદિર તરફ જતા રસ્તાને બંધ કરાયો એ અંગે ફરિયાદ નોંધાવી છે. વકિલે દાવો કર્યો છે કે ચૌથ કા બરવાળા સદીઓ જૂનું ચૌથ માટેનું મંદિર છે. તેમણે વધુમાં કહ્યું કે રસ્તો બંધ કરાતા રોજ માતાના મંદિરે આવતા સેંકડો ભાવિકો દર્શન કરવા જઈ શકતા નથી.
વિકી – કેટરીનાના લગ્ન જ્યાં થવાના છે એ સિકસ સેન્સસ હોટેલ
શ્રધ્ધાળુઓની તકલીફ અને ફરિયાદને ધ્યાનમાં રાખતા મંદિરનો રસ્તો ખોલવા માટે અપીલ કરવામાં આવી છે.
મંદિર જવાના રસ્તા પર જ હોટેલ સિક્સ સેન્સસ આવેલી છે. આને પગલે જિલ્લા કલેકટરે ૬થી ૧૨ ડિસેમ્બર સુધી મંદિર તરફ જતા રસ્તાને બંધ કર્યો છે.
ત્રીજી ડિસેમ્બરે મળેલી જિલ્લા કલેક્ટરની બેઠકમાં
રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે
એડવોકેટ સિંહનું કહેવું છે કે કથિતપણે લગ્નને કારણે હોટેલ પાસેથી જતા રસ્તાને બંધ કરતા માતાજીના ભક્તો ભારે તકલીફ અનુભવી રહ્યા છે. એટલે ભક્તોની ભાવનાઓને ધ્યાનમાં રાખી હોટેલ સિકસ સેન્સસ હોટેલ ચૌથ માતા મંદિર તરફ જતા રસ્તાને ખોલવામાં આવે.