અભિનેત્રીએ એના મૃત્યુ માટે કોઇને જવાબદાર ઠેરવ્યા નથી.
કન્નડ ટીવી અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી સૌજન્યએ આજે એના દક્ષિણ બેંગલોર ખાતે આવેલા કુંબળગોડુ સ્થિત એક એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાધો હતો. જોકે એને આ પગલું કેમ ભર્યું એ અંગે હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. સૌજન્યના ઘરેથી મળી આવેલી સુસાઇડ નોટમાં અભિનેત્રીએ એના મૃત્યુ માટે કોઇને જવાબદાર ઠેરવ્યા નથી. સૌજન્ય એકલી એપાર્ટમેન્ટમાં રહેતી હતી.
સૌજન્યાએ એની 27 સપ્ટેમ્બર લખેલી સુસાઇડ નોટમાં પરિવારની માફી માગી છે કે એ આવું આત્મઘાતી પગલું ભરી રહી છે.
જોકે અભિનેત્રીએ પ્લોટમાં કબૂલ્યું હતું કે એ લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. આ મામલે પોલીસ હવે સૌજન્યના વાલીઓ અને એના મિત્રોની પૂછપરછ કરી રહી છે. પોલીસને જાણવા માગે છે કે એક્ટ્રેસ ની આ હાલત માટે એ પોતે જવાબદાર હતી કે એ માટે કોઈએ ઉશ્કેરી હતી. સૌજન્ય આએ તેની સાથે કામ કર્યું હતું એવા તમામ લોકોની પૂછપરછ કરી કોઈ પુરાવા મળે છે કે નહીં એની તપાસ કરી રહી છે.
સૌજન્યાએ એની સુસાઇડ નોટમાં એમ પણ લખ્યું હતું કે એને કોઈ બીમારી ન હતી પણ એ માનસિક તકલીફો સામે ઝઝૂમી રહી હતી. એણે એવી તમામ વ્યક્તિઓનો આભાર માન્યો હતો જેણે એને આવા સમયમાં સાથ આપ્યો હતો.