વંચિત બાળકો માટે ગોદરેજ ઈઝી અને ગુલ પનાગનું સહિયારું અભિયાન
લિકવિડ ડિટર્જન્ટ બ્રાન્ડ ઇઝી અને અભિનેત્રી બિઝનેસ વુમન ગુલ પનાગે ઈઝી હગ્સ અંતર્ગત વંચિત બાળકોને શિયાળામાં પડનારી તકલીફને ધ્યાનમાં રાખી ચાર હજાર જેટલા બાળકોને સ્વેટર વિતરીત કર્યા હતા. ઇઝી હગ્સની આ બારમી એડીશન છે. આ અભિયાન અંતર્ગત ગુલ પનાગ વંચિત બાળકોને મળી તેમને સધિયારો આપ્યો હતો.
ઉત્તર ભારતમાં સુવિધાથી વંચિત સ્કૂલ જનારા હજારો બાળકો ગરમ કપડાં વગર કડકડતી ઠંડી સહન કરતા હોય છે. આને કારણે તેમને વાયરલ ફીવર અને શરદીના ભોગ બને છે. એટલા માટે ગોદરેજ ઇઝીએ શિયાળામાં પડતી તકલીફો અંગે જાગરૂકતા ફેલાવવા અને વંચિતોને શક્ય એટલી સહાય પહોંચાડવા ઈઝી હગ્સ અભિયાનની શરૂઆત કરી.
બાળકોને ઠંડીમાં પડતી તકલીફો પ્રત્યે લોકોનું ધ્યાન દોરાય એ માટે ગુલ પનાગ પણ આ સદકાર્યમાં જોડાઈ. અભિનેત્રી, બિઝનેસ વુમન અને પાઇલટ તરીકે ગુલ પનાગ જાણીતી છે. આવા સંવેદનશીલ કાર્યો કરવા એ તત્પર હોય છે. ગુલ પણ કર્નલ શમશેર સિંહ ફાઉન્ડેશન નામની એનજીઓ ચલાવે છે, જે એના દાદાજીના નામ પર છે, જે શિક્ષણ અને લૈંગિક સમાનતા માટે કામ કરે છે.