‘એ મારા જીવનનો મહત્ત્વનો હિસ્સો હતી. આજે અસહ્ય દર્દ અનુભવી રહ્યો છું. મારી માતા શ્રીમતિ અરુણા ભાટિયાએ આજે સવારે આ દુનિયાને અલવિદા કહ્યુ છે. તેઓ બીજી દુનિયામાં મારા પિતા સાથે ફરી મળી છે. હું તમારી લાગણીઓનું સન્માન કરૂં છું કારણ હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઓમ શાંતિ.’
માતાના નિધનના સમાચાર અક્ષય કુમારે આ ઇમોશનલ પોસ્ટ સાથે આપ્યા હતા. બૉલિવુડના ઍક્શન કિંગ અક્ષય કુમારની માતા બિમાર હોવાના અને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની વાત સાંભળી યુકેમાં સિન્ડ્રેલાનું શૂટિંગ પડતું મુકી અભિનેતા મુંબઈ દોડી આવ્યો હતો. અક્ષયની માતા લાંબા અરસાથી બિમાર હતાં. માતાની એકદમ નજીક એવા અક્ષયને તેમના નિધનને કારણે ભારે આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા પર અક્ષય અનેકવાર માતા સાથેના ફોટો અપલૉડ કરતો. ફૅમિલી મેન તરીકે જાણીતા અક્ષયે થોડા દિવસ પહેલા ફાધર્સ ડે નિમિત્તે પિતા હરિ ઓમ ભાટિયા સાથેનો એનો ફોટો પણ અપલૉડ કર્યો હતો.