સાંસ્કૃતિક સેલનો પદભાર સંભાળ્યા બાદ અભિલાષ ઘોડાએ ગુજરાતના હજારો કલાકાર મિત્રો, પરિવાર, મિત્રોનો માન્યો આભાર
ગુજરાતી કલાજગત માટે દિવસ-રાત જોયા વિના સદા સક્રિય રહેતા અભિલાષ ઘોડાને તેમના કાર્યક્ષેત્રનો વ્યાપ વધારવાનો અનેરો અવસર મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટિલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહે અભિલાષ ઘોડાની નિયુક્તિ અમદાવાદ શહેરના સાંસ્કૃતિક સેલના મુખ્ય સંયોજક તરીકે કરી છે.
ગુજરાતી કલાજગતના વિકાસ માટે સતત લડત ચલાવતા અભિલાષ ઘોડાની પ્રવૃત્તિ કોરોના મહામારીના સમયગાળા દરમિયાન પણ અટકી નહોતી. મહામારી દરમિયાન મુસીબતમાં મુકાયેલા સમગ્ર રાજ્યના અનેક કલાકાર-કસબીઓને રાહત પહોંચાડવાનું ભગીરથ કાર્ય તેમણે સહેયોગીઓના સથવારે સુપેરે પાર પાડ્યું હતું. એટલું જ નહીં, ફિલ્મોની સબસિડીનો મામલો હોય કે, કલાકારોના પુરસ્કારનો, કલાજગતને વધાવવાનો પ્રસંગ હોય કે મુશ્કેલીનો કાળ… દરેક સમયે આગળ પડતો ભાગ લઈ અભિલાષ ઘોડા એનો નીવેડો લાવવાનો ભગીરથ પ્રયાસ કરતા રહે છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર સક્રિય રહી કલા જગતની વાતો કલાપ્રેમી દર્શકો સુધી પહોંચાડવાનું કાર્ય પણ ખરૂં જ.
મુખ્ય સંયોજકની જવાબદારી સોંપાયા બાદ અભિલાષ ઘોડાએ ગુજરાતના હજારો કલાકાર મિત્રો, પરિવાર, મિત્રો અને ટીમનો આભાર માનવાની સાથે જણાવ્યું કે કલાજગતના હિતમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો રહીશ.
મુખ્ય સંયોજક તરીકે નિયુક્તિ થતાં ફિલ્મી ઍક્શન અભિલાષ ઘોડાને અભિનંદન આપવાની સાથે ભવિષ્યમાં પણ કલાજગતની આ રીતે જ સેવા કરતા રહે એવી શુભેચ્છાઓ આપે છે.