નાટકમાં સંજય ગોરડિયા, વૈશાલી ત્રિવેદી, ખંજન ઠુંબર,અજય પારેખ, ભાવિતા સંઘવી, હરેશ પંચાલએ લોકોને ગમે એવી અદાકારી ભૂમિકા ભજવી છે .
કોરોના કાળથી દરેક વર્ગ OTT પ્લેટફોર્મ પર દર્શાવતી વેબ સિરીઝ, સીરીયલ અને નાટકમાં પોતાનો રસ દેખાડતા જોવા મળેલ છે અને દિવસેને દિવસે તેમાં વધારો જોવા મળ્યો છે. OTT પ્લેટફોર્મ સાથે ઘરના દરેક વ્યક્તિ પોતાના મનપસંદ સિરિયલ અને શોઝ જોઈ શકે છે આ સાથે શેમારૂમી તમામ કન્ટેન્ટનો દર્શકોમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. આ સાથે તા 9 સપ્ટેમ્બરથી શેમારૂમી OTT પ્લેટફોર્મ પર પ્રસારિત થતું લોકપ્રિય ફેમિલી નાટકમાં ભાગ્યની સૂરીલી રમત છે – એક અધૂરી અંતાક્ષરી જેને ખુબજ ઓછા સમયમાં ચાહકોનો દિલ જીતી લીધા છે. દિવસેને દિવસે લોકો વધુ આ નાટકને પસંદ કરવા લાગ્યા છે.જેમાં રાહુલ અને સ્નેહાના પ્રેમની સ્ટોરી છે અને તે સાચા પ્રેમની ગાથા છે જે સંગીતના સૂરોના ‘સરગમ’ જેવી છે સુર વગર સંગીત અઘરુ છે, તેવીજ રીતે રાહુલ અને સ્નેહાના બિનશરતી પ્રેમને પામવા માટે એને લોકો તરફથી પૂછપરછ કરવામાં આવે છે, ધમકી આપવામાં આવે છે અને છેવટે ઘરના લોકોના દબાણને કારણે રાહુલ સ્નેહાને છોડીને અભિમાની નિશા સાથે લગ્ન કરે છે. જે સ્ટોરીમાં ટિવ્સ્ટ લાવે છે.
નાટકમાં સંજય ગોરડીયા, વૈશાલી ત્રિવેદી,ખંજન ઠુંબર અજય પારેખ, ભાવિતા સંઘવી, હરેશ પંચાલ લોકોના દિલ જીતી લે એવી એક્ટીંગ કરી છે અને ‘એક અધુરી અંતાક્ષરી’ સફળ બનાવ્યું છે .
સંજય ગોરડિયા જેઓએ નાટ્ય જગતમાં પોતાના અભિનયથી ચાહકોના દિલ જીત્યા છે તેઓ આ નાટક વિશે વાત કરતા કહે છે, શેમારૂમી પર પ્રસારિત થતું આ નાટક ખૂબજ ઓછા સમયમાં સારો પ્રતિસાદ સાંપડ્યો છે.આ એક સંગીતના સુર સમાન પ્રેમ સાથે સરખાવીને આને એક સારું નાટક બનાવ્યું છે. દરેક વ્યક્તિને એનો પ્રેમ મળે કે જીવન વિતાવવા મળે,એ જરૂરી નથી, એ અને જૉ તમારા નસીબમાં ના હોય તો એ પ્રેમ તમને મળતો નથી, આના માટે તમારે લોકોનો રોષ સહન કરવો પડે છે સાથે એટલા વિઘ્નો આવે છે કે તમે જિંદગીમાં હાર માની લો છો. આ નાટકમાં કોમેડી ડાયલોગ્સ સાંભળીને તમને આ નાટક જોવાની મજા પડી જશે. એક અધૂરી અંતાક્ષરીમાં જે ટર્નિંગ પોઇન્ટ આવે છે ,જેને જોવાની ખાસ મજા આવશે.