મહુવા ઘરની તમામ મહિલાઓને પાણી પીવડાવી દેતા બધાના વ્રત તૂટી જાય છે.
પતિના લાંબા આયુષ્ય માટે વિવાહિત મહિલાઓ કરવા ચોથનું વ્રત રાખે છે જેમાં એ નિર્જળા ઉપવાસ કરે છે. સાંજે ચંદ્રને અર્ધ્ય આપ્યા બાદ વ્રત પૂરું થાય છે.
દંગલ ટીવીના હિટ શો ‘નથ જેવર યા જંજીર’માં પણ કરવા ચોથની મહત્વપૂર્ણ સિક્વન્સ જોવા મળશે. તાજેતરમાં મીરા રોડ ખાતે આવેલાં સ્ટુડિયોમાં કરવા ચોથના સીન શૂટ કરવામાં આવ્યા જેમાં ડ્રામા અને ટ્વીસ્ટ જોવા મળશે.
મહુવાની ભૂમિકા ભજવી રહેલી ચાહત પાંડેએ જણાવ્યું કે, આ સીનમાં પુષ્કળ ડ્રામા છે. મહુવા ઘરની તમામ મહિલાઓને પાણી પીવડાવી દેતા બધાના વ્રત તૂટી જાય છે. મહુવા ફરી ફસાય છે અને કોઈ એના પર ભરોસો કરતું નથી. અહીં મજેદાર વળાંક આવે છે. હવે જોવાનું એ છે કે મહુવા પોતે કરવા ચોથની ઉજવણી કરી શકે છે કે નહીં.
ચાહત પાંડે કહે છે કે, એનું અંગતપણે માનવું છે કે પતિએ પણ વ્રત રાખવું જોઈએ. એને કારણે પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધશે.
અવતારનું પાત્ર ભજવી રહેલા રવિ ગોસાઈએ કહ્યું કે નથ એક એવો શો છે જેના દરેક એપિસોડમાં નવો ધડાકો હોય છે. આ ખાસ એપિસોડમાં પણ એક નવો ધમાકો જોવા મળશે. એમાં એક સાથે અનેકના વ્રત તૂટશે, પણ કેવી રીતે એ સરપ્રાઈઝ હશે
પદ્માની ભૂમિકા ભજવી રહેલી અંજના સિંહે તમામને કરવા ચોથની શુભેચ્છા આપતાં કહ્યું કે આ ખાસ એપિસોડમાં બ્લાસ્ટ થવાનો છે.
જ્યારે સિરિયલમાં બુંદીનું પાત્ર ભજવી રહેલી વૈભવી કપૂરે કહ્યું કે શોમાં ઘણા ઇમોશન્સ છે, ઝઘડાઓ છે તો અનેક ટ્વીસ્ટ પણ જોવા મળશે.
સિરિયલમાં ચાહત પાંડે, અર્જિત તનેજા, પ્રતિમા કનન, વૈભવી કપૂર, રવિ ગોસાઈ, પિયોમોરી મહેતા, અનુરાગ શર્મા, અંજના સિંહ, અચલ ટંકવાલ, મમતા સોલંકી, શ્રદ્ધા સિંહ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. નથ જેવર યા જંજીર સોમથી શનિવારે રાત્રે ૧૦ વાગ્યે દંગલ ટીવી પર પ્રસારિત થાય છે.