Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Bollywood

રાજ કુમારે કેમ મેહુલ કુમારને જીવતે જીવ શ્રદ્ધાંજલિ આપવા કહ્યું?

મરતે દમ તકની રિલીઝને 35 વરસ થયા એ પ્રસંગે રાજ કુમાર સાથેની યાદોને વાગોળતા દિગ્દર્શક મેહુલ કુમાર

Pradyuman Kapadia by Pradyuman Kapadia
July 18, 2022
Reading Time: 1 min read
0
રાજ કુમારે કેમ મેહુલ કુમારને જીવતે જીવ શ્રદ્ધાંજલિ આપવા કહ્યું?

રાજ કુમાર સાથેની મેહુલ કુમારની પહેલી ફિલ્મ અને કમબેક કર્યા પછીની રાજ કુમારની પહેલી ફિલ્મ મરતે દમ તક 17 જુલાઈ, 1987ના રિલીઝ થઈ હતી. આ સુપરહિટ ફિલ્મને રિલીઝ થયાના 35 વરસ પૂરા થયા. ફિલ્મે ત્યારે ગોલ્ડન જ્યુબિલી ઉજવી હતી. મેહુલ કુમાર લિખિત-દિગ્દર્શિત અને પ્રાણલાલ મહેતા નિર્મિત મરતે દમ તકમાં રાજ કુમાર ઉપરાંત ગોવિંદા, ફરાહ, શક્તિ કપૂર, ઓમ પુરી સહિત અન્ય કલાકારો હતા. ફિલ્મનું સંગીત રવિન્દ્ર જૈને આપ્યું હતું.

મેહુલ કુમાર બૉલિવુડના એક માત્ર ફિલ્મ સર્જક છે જેમની સાથે રાજ કુમારે ત્રણ ફિલ્મો કરી હતી. જેમાં મરતે દમ તક, જંગબાઝ અને તિરંગાનો સમાવેશ થાય છે. 35 વરસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ સાથે સંકળાયેલી અને ક્યારેય ભૂલી ન શકાય એવી રોચક અને લાગણીસભર વાતોને મેહુલ કુમારે વાગોળી હતી.

મરતે દમ તકના શૂટિંગ સમયનો એક કિસ્સો યાદ કરતા મેહુલ કુમાર કહે છે કે, લંચ બ્રેક દરમિયાન રાજ કુમારના મેનેજર મારી પાસે આવ્યા અને કહ્યું રાજ સાબ તમને બોલાવે છે. હું તેમને મળવા ગયો તો ઊભા થઈને મને ભેટી પડ્યા અને કહ્યું, આઇ લાઇક યોર નેચર એન્ડ યોર સ્ટાઇલ. મેહુલ કુમાર કહે છે કે મને કંઈ સમજ પડતી નહોતી કે તેઓ હકીકતમાં આમ કહી રહ્યા છે કે મહેણુ મારી રહ્યા છે. મને અવઢવમાં પડેલો જોઈ તેમણે ખુલાસો કરતા કહ્યું, મારી ફિલ્મના દિગ્દર્શકને પહેલા જ દિવસે કોઈ મનઘડંત સજેશન કરું છું. જો દિગ્દર્શક મારી વાત માની લે તો પૂરી ફિલ્મ દરમિયાન સજેશન કરતો રહું છું. અને જો દિગ્દર્શક મારું સૂચન માને નહીં અને એના વિઝનથી મને કન્વિન્સ કરે તો હું એ દિગ્દર્શકને સરેન્ડર થઈ જઉં છું.

જોકે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બનેલો એક કિસ્સો હું ક્યારેય ભૂલી શકીશ નહીં. ફિલ્મનું શૂટિંગ ખંડાલા ખાતે ચાલી રહ્યું હતું. આ પ્રસંગને યાદ કરતા મેહુલ કુમાર કહે છે કે, અમે રાજ કુમારના પાત્રની સ્મશાન યાત્રાનું દૃશ્ય ફિલ્માવી રહ્યા હતા. આ દૃશ્ય માટે એકાદ હજાર કલાકારો ઉપસ્થિત હતા. એક નકલી મૃતદેહને ફૂલહાર ચઢાવી તૈયાર રાખવામાં આવ્યો હતો. આ સીન ક્રેનથી ફિલ્માવી રહ્યો હતો ત્યારે રાજ કુમારે મને તેડું મોકલ્યું. મને શું કામ બોલાવી રહ્યા છે એ સમજાયું નહીં. હું તેમની પાસે ગયો ત્યારે આર્ટ ડિપાર્ટમેન્ટનો એક માણસ હાર લઈને ઊભો હતો. હું પહોંચ્યો ત્યારે રાજ સાબે મને કહ્યું, મેહુલ આ હાર મને પહેરાવો. હું હજી કારણ પૂછું એ પહેલાં જ તેમણે કહ્યું કે, મને ખબર છે કે હું  હંમેશ માટે જઇશ ત્યારે આ મોકો તમને નહીં મળે. એટલે હું ઇચ્છું છું કે આ અવસર હું તમને આજે જ આપું.

રાજ કુમારની વાત સાંભળી હું તો જડવત બની ગયો. રાજ કુમારે મને જીવતા જાગતા રાજ કુમારને શ્રદ્ધાંજલિ આપવાનું કહી રહ્યા છે. શું કહેવું, કરવું કંઈ સમજાતું નહોતું. ધ્રુજતા અવાજે હું એટલું જ બોલી શક્યો કે આવું શું કામ બોલો છો? ભગવાન તમને સો વરસના કરે. તેમણે વાત ટાળી દીધી અને હું પાછો શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો.

આ ઘટનાના થોડા વરસો બાદ હું અમિતાભ બચ્ચન અને ડિમ્પલ કાપડિયા સાથે મહેબૂબ સ્ટુડિયોમાં મૃત્યુદાતાનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે રાજ સાબના ઘરેથી ફોન આવ્યો. મને કહેવામાં આવ્યું કે રાજજી હવે આ દુનિયામાં રહ્યા નથી. જેમણે ફોન કર્યો હતો તેમણે કહ્યું કે તમારું નામ એવા લોકોની યાદીમાં છે જેમને રાજ કુમારે તેમના મૃત્યુ બાદ ઘરે બોલાવવાનું કહ્યું હતું.

રાજ કુમારના નિધનના સમાચાર સાંભળી તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા શૂટિંગના પેક અપનું વિચારવાની સાથે ફોન કરનારને પૂછ્યું કે અંતિમવિધિ ક્યારે છે. તો સામેથી જવાબ મળ્યો તેમના અંતિમ સંસ્કાર તો થઈ ગયા છે. પણ મૃત્યુ પામ્યા એના થોડા દિવસ પહેલાં તેમણે તેમની નજદિકના લોકોની યાદી બનાવી હતી જેમને અંતિમ સંસ્કાર બાદ બોલાવવાના હતા. શૂટિંગ અધુરૂં મુકી હું રાજ સાબના ઘરે ગયો ત્યારે ભાભીએ મને કહ્યું કે તેઓ નહોતા ઇચ્છતા કે તેમની સ્મશાન યાત્રા તમાશો બને.

એ સમયે મને રાજ કુમારે મરતે દમ તકના શૂટિંગ વખતે કહેલી વાત યાદ આવી જ્યારે રાજ કુમારે કહ્યું હતું કે મેહુલ, આ હાર તમે મને પહેરાવો પાછો આવો મોકો તમને નહીં મળે.

Source: Filmy Action Team
Tags: Amitabh BachchanDimple KapadiaGovindaMarte Dam TsakMehul KumarOm PuriRaj KumarRavindra JainShakti Kapoorઅમિતાભ બચ્ચનઓમ પુરીગોવિંદાડિમ્પલ કાપડિયામરતે દમ તકમેહુલ કુમારરવિન્દ્ર જૈનરાજ કુમારશક્તિ કપૂર
ShareTweetPin
Pradyuman Kapadia

Pradyuman Kapadia

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari.

Related Posts

Bollywood

બોલિવૂડના જાણીતા લેખક – દિગ્દર્શક પાર્થો ઘોષનું નિધન

June 9, 2025
8
પશ્ચિમ રેલવેનું નવું અભિયાન : લાઇટ… કૅમેરા… ઍક્શન
Bollywood

પશ્ચિમ રેલવેનું નવું અભિયાન : લાઇટ… કૅમેરા… ઍક્શન

June 3, 2025
49
માલિકના ટીઝરમાં જોવા મળ્યો રાજકુમાર રાવનો ખતરનાક લૂક
Bollywood

માલિકના ટીઝરમાં જોવા મળ્યો રાજકુમાર રાવનો ખતરનાક લૂક

June 3, 2025
5
શાહિદ-ક્રીતિ-રશ્મિકાની કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે
Bollywood

શાહિદ-ક્રીતિ-રશ્મિકાની કોકટેલ-2નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે

June 3, 2025
6
ઓહ માય ગૉડ-2ના દિગ્દર્શકની આગામી ફિલ્મ છે ઓહ માય ડૉગ
Bollywood

ઓહ માય ગૉડ-2ના દિગ્દર્શકની આગામી ફિલ્મ છે ઓહ માય ડૉગ

June 3, 2025
25
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા બ્રાઇટના ડૉ. યોગેશ લાખાણી
Bollywood

કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમક્યા બ્રાઇટના ડૉ. યોગેશ લાખાણી

May 28, 2025
5
Next Post
ભૂપિન્દર સિંહે ગિટારિસ્ટ તરીકે પણ અનેક યાદગાર ગીતો આપ્યા છે

ભૂપિન્દર સિંહે ગિટારિસ્ટ તરીકે પણ અનેક યાદગાર ગીતો આપ્યા છે

આમિર ખાને ગુજરાતી રંગભૂમિથી કરિયરની શરૂઆત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Currently Playing
Facebook Twitter Instagram
Filmy Action Latest Bollywood News & Gossip:

Mr. P. C. Kapadia first began his journey at Chitralekha - one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news.
LEARN MORE »

Quick Links

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Copyright Statement

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Bollywood
    • News
    • Bollywood Events
    • Review
    • Bollywood Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • Dhollywood News
    • Dhollywood Events
    • Dhollywood Interview
  • Marathi Films
    • Marathi News
    • Marathi Events
  • Hollywood
    • Hollywood News
    • Filmy Events
  • Drama
    • Drama Natak and Plays News
    • Drama Natak and Plays Events
    • Drama Natak and Plays Interview
  • Tellywood
  • Web Series
    • News
    • Events
    • Review
  • Album
    • Album News
  • E-Magazine

© 2017- 2022 Filmy Action - Design by Binary Techne.

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.