શું દયાભાભી પાછા આવી રહ્યાં છે?

ટીઆરપીમાં ફરી ટોપ ફાઇવમાં આવેલી તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં જેઠાલાલ ખુશીના માર્યા ઝૂમી ઉઠવાના છે.

હકીકતમાં સુંદરલાલ તેમની આદત મુજબ કહ્યા વગર જેઠાલાલને ત્યાં પહોંચી જાય છે. જેઠાલાલ આવવાનું કારણ પૂછે છે ત્યારે સુંદર અને તેમનાં મિત્રો એકબીજામાં એટલા મગ્ન છે કે જેઠાલાલને સાંભળવાની ફુરસદ નથી. બધા મિત્રો ક્યારેક ગરબા રમે છે તો ક્યારેક ધમાલ મસ્તી કરતા રહે છે. પણ તેઓ જેઠાલાલને ઘરે આવવાનું કારણ કહેતા નથી.

હંમેશની જેમ સુંદરની હાજરીને કારણે જેઠાલાલ ટેન્શનમાં આવી જાય છે. જ્યારે પણ ખીસા ખાલી થાય ત્યારે જ એ જેઠાલાલને ત્યાં પધરામણી કરતા. જોકે મહામુસીબતે સુંદરલાલ કહે છે કે એ કોઈ મુસીબતનો કારણે નથી આવ્યો પણ રિયલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો છે એની જાણકારી આપવા આવ્યો હોવાનું જણાવે છે. આમ છતાં જેઠાલાલને એની વાત પર વિશ્વાસ બેસતો નથી અને હકીકત કહેવા જણાવે છે ત્યારે સુંદર જેઠાલાલને એક પત્ર આપે છે.

જેઠાલાલ કાગળ વાંચી ઘણા ભાવુક બની જાય છે. કાગળ દયાનો છે અને એ ટૂંક સમયમાં પાછી આવી રહી હોવાનું પ્રોમિસ આપે છે. એ સિવાય દયાએ પત્રમાં એવું શું લખ્યું છે કે જેઠાલાલ ભાવુક બની જાય છે.

Exit mobile version