રંગ દેવતાની અસીમ કૃપાથી ફરી એકવાર શ્રી કપોળ આનંદ મંગલ ટ્રસ્ટ (રજિ), મુંબઈ દ્વારા આગામી ૨૫મી એપ્રિલ, ૨૦૨૫ શુક્રવારનાં રોજ આનંદ મંગલ ગુજરાતી એકાંકી નાટ્ય સ્પર્ધા -૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાનો મુખ્ય હેતુ રંગમંચના માધ્યમ દ્વારા ગુજરાતી ભાષામાં રચાયેલી ઉચ્ચતમ સાહિત્યકૃતિ અને સંસ્કૃતિ સાથે સૌને પરિચિત કરાવવાનો વિનમ્ર પ્રયાસ છે. એટલે તમામ એકાંકીઓનો સ્ત્રોત ગુજરાતી સાહિત્ય રહેશે. અર્થાત નાટક ગુજરાતી લેખકોની ગુજરાતી વાર્તા કે નવલકથાનાં અંશનું નાટ્ય સ્વરૂપે હોવું જોઈએ. અન્ય ભાષામાંથી અનુવાદિત નાટકને એન્ટ્રી અપાશે નહીં..
આ એકાંકી નાટ્ય સ્પર્ધામાં ભાગ લેનાર તમામ કલાકારો અને કસબીઓનું રંગમંચના નામાંકિત મહાનુભાવ દ્વારા સન્માન કરવામાં આવશે. ઉપરાંત નિમ્નલિખિત શ્રેણીના વિજેતાઓને રોકડ ઈનામ દ્વારા નવાજવામાં આવશે: એમ શ્રી કપોળ આનંદ મંગલ ટ્રસ્ટ વતી આયોજક શ્રી ભરત સંઘવીએ સ્પર્ધાની જાણકારી આપતા જણાવ્યું હતું.
શ્રેષ્ઠ નાટક પ્રથમ-
શ્રેષ્ઠ નાટક દ્વિતીય –
શ્રેષ્ઠ દિગ્દર્શક –
શ્રેષ્ઠ લેખક –
શ્રેષ્ઠ અભિનેતા પ્રથમ –
શ્રેષ્ઠ અભિનેત્રી પ્રથમ –
શ્રેષ્ઠ અભિનેતા દ્વિતીય –
શ્રેષ્ઠ અભિનેત્રી દ્વિતીય –
શ્રેષ્ઠ પ્રકાશ રચના-
શ્રેષ્ઠ સંગીત –
નોંધ: સ્પર્ધકોએ વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરવો:
અશોક ઉપાઘ્યાય – 09594114209
પાર્થસારથી વૈદ્ય – 09819718211