દુર્ગાષ્ટમીના અવસરે મુંબઈમાં બૉલિવૂડની સેલિબ્રિટીઝ મા દુર્ગાની ભક્તિમાં તરબોળ જોવા મળી હતી. રાની મુખર્જી, કાજોલ, રણબીર કપૂર, મૌની રૉય, શરબની મુખર્જી, અયાન મુખર્જી અને જયા બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો સહિત બોલિવૂડના ઘણા સેલેબ્સ જુહુ સ્થિત દુર્ગા પંડાલમાં ભેગા થયા હતા.
વિડીયોમાં જોઈ શકાય છે કે કાજોલ મંડપમાં જયા બચ્ચનને મૈત્રીપૂર્ણ રીતે મળે છે. આ દરમિયાન જયાના મોં પર માસ્ક છે, જેના કારણે તેનો ચહેરો દેખાતો નથી. આના પર કાજોલ મજાકમાં આંગળી ચીંધીને કહે છે, “માસ્ક હટાવવો પડશે, ભલે તે ગમે તે હોય.” આથી જયા પોતાનો માસ્ક ઉતારે છે અને સ્મિત સાથે પોઝ આપે છે. પરંતુ કાજોલની સ્ટાઈલ અને જયાની સ્માઈલ બંને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
વિડિયો જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો