ચાહકો માટે માનવું મુશ્કેલ બની રહ્યું છે કે હસતો હસતો ચહેરો આજે તેમની વચ્ચે નથી.
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બુધવારે સવારે અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચારના આઘાતમાંથી ટીવી ઇન્ડસ્ટ્રી બહાર નથી આવી ત્યાં અનુપમા ફૅમ અભિનેતા નિતેશ પાંડેનું કાર્ડિયાક અરેસ્ટને કારણે 51 વર્ષની વયે અવસાન થયું છે. તેમના ચાહકો માટે માનવું મુશ્કેલ બની રહ્યું છે કે હસતો હસતો ચહેરો આજે તેમની વચ્ચે નથી.

અનુપમા શોના લીડ એક્ટર સુધાંશુ પાંડેએ નિતેશના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે બંને સારા મિત્રો હતા.. હજી પણ અભિનેતાના મૃત્યુના સમાચાર પર વિશ્વાસ બેસતો નથી. બંનેની છેલ્લી મુલાકાત થોડા સમય પહેલા સેટ પર થઈ હતી.
અભિનેતાએ ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. નિતેશે ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં શાહરૂખ ખાનના સહાયકની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત બધાઈ દો, રંગૂન, હન્ટર, દબંગ 2, બાઝી, મેરે યાર કી શાદી હૈ, મદારી જેવી ફિલ્મોમાં પણ તેમની અભિનય પ્રતિભા દર્શાવી હતી.. ટીવી શોની વાત કરીએ તો, તેણે સાયા, અસ્તિત્વ…એક પ્રેમ કહાની, હમ લડકિયાં, ઈન્ડિયાવાલી મા, હીરો-ગબે મોડ ઓનમાં કામ કર્યું હતું.
નિતેશ હાલ સૌથી વધુ ટીઆરપી ધરાવતી સિરિયલ અનુપમામાં ધીરજ કપૂરની ભૂમિકા ભજવી હતી. જેમાં તેણે અનુજના મિત્ર તરીકે એન્ટ્રી કરી હતી. સિરિયલમાં હજુ પણ તેનો ટ્રેક ચાલી રહ્યો છે પણ કોને ખબર હતી કે આ તેનો છેલ્લો શો હશે.
અંગત જીવનમાં નિતેશે 1998માં અશ્વિની કાલસેકર સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ બંનેએ 2002માં છૂટાછેડા લીધાં બાદ નિતેશે ટીવી એક્ટ્રેસ અર્પિતા પાંડે સાથે લગ્ન કર્યાં હતાં