ભારતના માનવંતા નેતામાંના એક, પ્રસિદ્ધ કવિ, લેખક, ભારતના પૂર્વ વડા પ્રધાન, ઉત્કૃષ્ટ વક્તા એવા અટલ બિહારી વાજપેયીનું નામ વિરોધ પક્ષો પણ આદરથી લેતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા માનવીય રાજનીતિજ્ઞની જીવની પર આધારિત ફિલ્મનું નિર્માણ વિનોદ ભાનુશાળી અને સંદીપ સિંહ કરી રહ્યા છે.
મૈં રહૂં યા ન રહૂં, દેશ રહના ચાહિયે – અટલ ફિલ્મ પેન્ગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાના સૌથી વધુ વેચાણ ધરાવતા ઉલ્લેખ એન પી લિખિત પુસ્તક ધ અનટોલ્ડ વાજપેયી : પોલિટિશિયન ઍન્ડ પેરાડૉક્સનું નાટકીય રૂપાંતર છે.
તો નિર્માતા સંદીપ સિંહનું કહેવુ છે કે, અટલ બિહારી વાજપેયી ભારતીય ઇતિહાસના મહાન નેતાઓમાંના એક છે. જેમણે તેમના શબ્દો દ્વારા દુશ્મનોના દિલ જીતવાનું કામ કર્યું હતું. તેમણે સકારાત્મક રીતે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું અને પ્રગતિશીલ ભારતની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી. ફિલ્મ નિર્માતા હોવાને કારણે મને લાગે છે કે આવી વણકહી વાર્તાઓને દર્શકો સુધી પહોંચાડવા માટે ફિલ્મ જેવું બીજું કોઈ માધ્યમ નથી. અટલ ફિલ્મમાં તેમની રાજકીય વિચારધારાઓ પર જ પ્રકાશ નહીં નખાય પણ, તેમના માનવીય અને કાવ્યાત્મક પાસાઓને પણ રજૂ કરાશે જેના થકી તેઓ લોકપ્રિય વિરોધ પક્ષ નેતા અને ભારતના સૌથી પ્રગતિશીલ વડા પ્રધાન બનાવ્યા હતા.
નિર્માતાઓ ટૂંક સમયમાં ફિલ્મના કલાકાર અને દિગ્દર્શકના નામની જાહેરાત કરશે. ફિલ્મનું શૂટિંગ 2023ના આરંભમાં શરૂ કરાશે અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 25 ડિસેમ્બર, 2023ના તેમની નવાણુમા જયંતિના રિલીઝ કરાશે.
ભાનુશાળી સ્ટુડિયોઝ લિમિટેડ અને લીજન્ડ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અટલના નિર્માતા છે વિનોદ ભાનુશાળી, સંદીપ સિંહ, સૅમ ખાન, કમલેશ ભાનુશાળી અને વિશાલ ગુરનાની. જ્યારે સહ નિર્માતા છે જૂહી પારેખ મહેતા, જીશન અહમદ અને શિવ શર્મા.