લગ્ન એ જીવનનો યાદગાર પ્રસંગ ભલે ગણાતો હોય પણ અમુક એવા પણ નરબંકા છે જેઓ આજીવન એકલા રહેવાનું પસંદ કરતા હોય છે. બૉલિવુડના કલાકાર તુષાર કપૂરે પણ ક્યારેય લગ્ન ન કરવાનું નક્કી કર્યું છે. તાજેતરમાં આપેલી એક મુલાકાતમાં અભિનેતાએ એના લગ્ન વિશેના વિચારો વ્યક્ત કર્યા હતા. તુષારને એક દીકરો છે અને પિતા તરીકેની એની જવાબદારી બખૂબી નિભાવી રહ્યો છે.
અગાઉ એક મુલાકાત દરમિયાન તુષારે જણાવ્યું હતું કે પ્રકાશ ઝાએ એને સરોગસી દ્વારા પિતા બનવાની સલાહ આપી હતી. તુષારે વધુમાં જણાવ્યું કે, એક માતા સંતાનનું ડાયપર બદલે છે, એને જમાડે છે. લોકો આને જ ઉછેર કહે છે. પણ એવું નથી. માતા-પિતા બનવું ઘણું મુશ્કેલ છે. વાલિ બનવું એટલે ઘણી જવાબદારી ઉપાડવાની હોય છે. અને એની શરૂઆત પ્રેમથી થાય છે, જે કોઈ પણ શરત વગર થતો હોય છે. તમે પિતા છો એટલે તમારી ભાવના બદલાતી નથી. હું મારા પુત્ર સાથે મોજથી રહું છું.