ખંડણી મામલે જેકલીન ફર્નાન્ડિઝને વિદેશ જતી રોકવામાં આવી

અભિનેત્રી દુબઈ શો માટે જઈ રહી હતી

જેકલીન ફર્નાન્ડીઝને આજે એલઓસી (લુક આઉટ સર્ક્યુલર)ના કારણે ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ ચંદ્રશેખર કેસમાં અભિનેત્રી વિરુદ્ધ એલઓસી જારી કર્યું હતું. જેકલીન ફર્નાન્ડીઝ એક શો માટે દુબઈ જવા માંગતી હતી. જોકે એરપોર્ટ ઓથોરિટીએ અભિનેત્રીને દુબઈ જતી અટકાવી હતી.

Exit mobile version