વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે અટલ બિહારી વાજપેયીની બાયોપિક બનશે

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જીવની પર ફિલ્મ બનાવવાની તૈયારી ચાલી રહી છે. અમાંશ ફિલ્મ્સના માલિક શિવા શર્મા અને જીશન અહમદે ઉલ્લેખ એનપી દ્વારા લિખિત પુસ્તક ધ અનટોલ્ડ વાજપેયીના રાઇટ્સ મેળવી લીધા છે. એમાં વાજપેયીના બાળપણ, કૉલેજ લાઇફ, રાજનેતા બનવા જેવી તેમની જિંદગીની અનેક બાજુ દર્શાવવામાં આવશે.

શર્માએ કહ્યું કે, ધ અનટોલ્ડ વાજપેયી મારી સૌથી મહત્ત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે. અને આ રિયલ લાઇફના હીરોને મોટા પરદે લાવવા સમર્થ હોવાનો આનંદ આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ પુસ્તક વાંચતી વખતે મને તેમના વ્યક્તિત્વના અનેક પહેલુઓ, વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન તેમણે કરેલા કાર્યો અંગેની જાણકારી પણ મળી. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ ચાલી રહ્યું છે. એ કામ પૂરૂં થયા બાદ ફિલ્મના દિગ્દર્શક અને કલાકારોની પસંદગી થશે.

Exit mobile version