નાગિન-3 સહિત બીજી અનેક સિરિયલોમાં અભિનયના ઓજસ પાથરી લોકપ્રિયતા મેળવનાર અભિનેતા પર્લ વી પુરી સહિત છ જણ વિરૂદ્ધ બળાત્કારનો ગુનો નોંધાયો છે. પોલીસે પર્લ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી છે. એક યુવતીની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. પીડિત તરૂણીના આક્ષેપો મુજબ તમામ આરોપીઓએ અગાઉ કારમાં તેના પર બળાત્કાર કર્યો. ત્યાર બાદ અનેક વાર વિનયભંગ કર્યો હતો. સગીર વયની છોકરી પર બળાત્કાર કર્યો હોવાથી પર્લની પોસ્કો કાયદા અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. પર્લ સહિત પોલીસે તમામ આરોપીની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરી રહી છે.
પીડિતાની ફરિયાદ બાદ પોલીસે તમામ આરોપી વિરૂદ્ધ બળાત્કાર અને વિનયભંગનો ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ 4 જૂને રાત્રે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.
પર્લ પુરી એના રિલેશનશિપને કારણે ચર્ચામાં રહ્યો છે. થોડા દિવસ અગાઉ કરિશ્મા તન્ના સાથેની રિલેશનશિપની પુષ્કળ ચર્ચા થઈ રહી હતી. જોકે બંને વચ્ચે મતભેદ થતાં છૂટા પડ્યા હતા.
નાગિન-3 ઉપરાંત પર્લે અનેક શોમાં કામ કર્યુ છે. દિલ કી નજર સે ખૂબસૂરત, ફિર ભી ના માને બદતમીઝ દિલ, મેરી સાસુમાં, બેપનાહ પ્યાર અને બ્રહ્મરાક્ષસ-2 સિરિયલમાં પર્લ વી પુરીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.