Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Bollywood

સરકારના 65 વર્ષથી વધુ વયના કલાકાર પર પ્રતિબંધના મુદ્દે સિનિયર કલાકારોમાં આક્રોશ

Filmyaction by Filmyaction
Reading Time:1min read
0
સરકારના 65 વર્ષથી વધુ વયના કલાકાર પર પ્રતિબંધના મુદ્દે સિનિયર કલાકારોમાં આક્રોશ

કોવિડ-19ને કારણે લૉકડાઉન અમલમાં આવ્યો ત્યારથી ફિલ્મ-ટીવી સિરિયલ અને વેબ સિરીઝના શૂટિંગ અટકી પડ્યા છે. ત્રણેક મહિના થી વધુ સમયથી કામકાજ બંધ હોવાથી મનોરંજન જગતને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. અનેક કલાકારો બેકાર થયા છે. આવી પ્રતિકુળ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા સરકારે શૂટિંગ માટે શરતી માન્યતા આપી છે. સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝ કરવાથી લઈ માસ્ક પહેરવા જેવી તમામ બાબતોનું ફરજિયાત પણે પાલન કરવાની શરતે સરકારે પરવાનગી આપી છે. જોકે સરકારે લાદેલી શરતોમાંની એકથી અનેક કલાકારો નારાજ થયા છે. સરકારે 65 વરસ કરતા વધુ વયના કલાકારોને શૂટિંગ પર જવાની મનાઈ ફરમાવી છે.

RELATED POSTS

આજથી શરૂ થાય છે કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન

વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન

સરકારના આ નિર્ણયનો પહેલો ભોગ કંવલજીત બન્યો છે. શૂટિંગ શરૂ થયા બાદ કંવલજીતને બદલે અન્ય કલાકારની પસંદગી કરવામાં આવી હતી. સરકારના 65 વરસથી વધુ વયના કલાકારો પરના પ્રતિબંધનો જેકી શ્રોફ સહિત અનેક કલાકારોએ નારાજી વ્યક્ત કરી છે. જેકીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય અયોગ્ય હોવાનું જણાવી પોતાની નારાજી વ્યક્ત કરી છે.

અગાઉ રઝા મુરાદે પણ સરકારના નિર્ણયની ટીકા કરી હતી. કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર લીધેલો આ નિર્ણય અવ્યવહારૂ છે. અનેક ફિલ્મો અને સિરિયલોમાં વરિષ્ઠ કલાકાર માતા-પિતા, દાદા-દાદીની ભૂમિકા ભજવતા હોય છે. અને એ વાર્તાની જરૂરિયાત મુજબ હોય છે. છેલ્લી ઘડીએ સરકારે લીધેલા નિર્ણયને કારણે યુવાન કલાકાર દાદા-દાદીની ભૂમિકા ભજવશે કે? અને જો એમ થયું તો સિનિયર કલાકારની રોજગારીનું શું? એવો પ્રશ્ન રઝા મુરાદે એક મુલાકાત દરમ્યાન કર્યો હતો.

ગોવિંદ નામદેવ (65)એ પણ સરકારને આ નિર્ણય અંગે પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. એક વ્યક્તિ જો 65 વર્ષની હોય તો એની રોગપ્રતિકાર શક્તિ ઘટી ગઈ છે એમ માનવું ભૂલભરેલું છે. જો તંદુરસ્ત વ્યક્તિ તમામ પ્રકારની સાવચેતી લઈને કામે જતી હોય તો એને અટકાવવો ન જોઇએ. તો પીઢ અભિનેત્ર નફિસા અલી સોઢી (63)એ કહ્યું કે આ તો વરિષ્ઠ કલાકારોના જુસ્સાને તોડી પાડવા જેવુ છે.

સિનિયર કલાકારોને જો કામ કરવાની ઇચ્છા હોય તો તેમને રોકવા જોઇએ નહીં. હિમાની શિવપુરી (59)નું માનવું છે કે, વાઇરસ કોઈ પણ વયજૂથના લોકોને સંક્રમિત કરી શકે છે. પરિસ્થિતિ ઘણી ભયાવહ છે. પણ 65 વર્ષથી વધુ વયના લોકોને કોરાણે ધકેલવા ન જોઇએ. અને આ એવો પ્રોફેશન છે જ્યાં અમને પેન્શન મળતું નથી.

જોકે અમુક સિનિયર કલાકારો બહાર નીકળવા મામલે સાવચેત રહેવા માંગે છે. જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી સુખેથી ઘરમાં રહેવામાં માને છે. અરૂણા ઇરાની (73) કહે છે કે મારે પણ કામ પર જવું છે પણ તબિયત પહેલાં.

તો બી. આર. ચોપરાની મહાભારતમાં કૃષ્ણની ભૂમિકા ભજવનાર નિતશ ભારદ્વાજનું માનવું છે કે વયોવૃદ્ધ કલાકારના સ્થાને અન્ય કલાકારને લેવાને બદલે નિર્માતાએ સાવચેતીના વધુ પગલાં ભરવા જોઇએ. નિર્માતાનું કામ છે સેટ પર સાવચેતીના પૂરતા પગલા લેવામાં આવે, બાકી કામ પર આવવું કે નહીં એ તેમને નક્કી કરવા દો. જો તેઓ જોખમ લેવા માંગતા ન હોય તો તેમના સ્થાને નવા કલાકારને લો.

Buy JNews
ADVERTISEMENT

કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હોવાથી સ્વિત્ઝર્લેન્ડમાં અટવાયેલા ગુજરાતી ફિલ્મોના વિખ્યાત કલાકાર ફિરોઝ ઇરાનીએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું કે, 65 વર્ષથી વધુ વયના કલાકારોને શૂટિંગમાં ભાગ લેવા પર મુકેલો પ્રતિબંધ સિનિયર કલાકારોના હિત માટે છે એમાં ના નહીં. પરંતુ સરકારે તમામ પ્રકારના સાવચેતીના પગલાં બાદ શૂટિંગ કરવાની પરવાનગી આપે. જેમ કે, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝિંગ જેવા અનેક પગલાંઓ છે અને એના પાલન સાથે સિનિયર કલાકારોને પણ શૂટિંગ કરવાની પરવાનગી મળવી જોઇએ. આપણે હવે કોરોના વાઇરસ સાથે જીવવાનું છે, ત્યારે દરેકે પોતાની જાતને સંભાળીને પહેવું પડશે. નિર્માતાએ પણ તમામ સાવધાની રાખી શૂટિંગ શરૂ કર્યા છે તો ત્યારે સૌને કામ મળે એ જરૂરી છે અને એમાં સિનિયર કલાકારો પણ આવી જાય છે.

ShareTweetPin
Filmyaction

Filmyaction

Related Posts

આજથી શરૂ થાય છે કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩
Drama

આજથી શરૂ થાય છે કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન
Feature

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન

વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન
Bollywood

વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન

બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ
Bollywood

બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

ચિંગારીના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર બન્યા સલમાન ખાન
Bollywood

ચિંગારીના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર બન્યા સલમાન ખાન

ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’
Feature

ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’

Next Post
જન્મશતાબ્દી નિમિત્તે દિગ્ગજ કલાકાર પ્રતાપ ઓઝાને આદરાંજલિ

જન્મશતાબ્દી નિમિત્તે દિગ્ગજ કલાકાર પ્રતાપ ઓઝાને આદરાંજલિ

મૈં ફિર આઉંગા – ક્લબ મહિન્દ્રાને કહે છે આયુષ્માન ખુરાના

મૈં ફિર આઉંગા - ક્લબ મહિન્દ્રાને કહે છે આયુષ્માન ખુરાના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઇહાના ઢિલ્લોંએ ચંડીગઢમાં શરૂ કર્યો આર્ટ ગ્લેમ સ્ટુડિયો

કસૌટી ઝિંદગી કેમાં સિદ્ધાર્થ શિવપુરીની થશે એન્ટ્રી

ખાસ મહેમાનો માટે યોજાયો રિઝવાન ફિલ્મનો શો

Popular Stories

  • બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

    બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

    0 shares
    Share 0 Tweet 0
  • વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન

    0 shares
    Share 0 Tweet 0
  • બબિતા અને જેઠાલાલ વચ્ચે છત્રીસનો આંકડો

    0 shares
    Share 0 Tweet 0
  • ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’

    0 shares
    Share 0 Tweet 0
  • શું દયાભાભી પાછા આવી રહ્યાં છે?

    0 shares
    Share 0 Tweet 0

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આજથી શરૂ થાય છે કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩
  • રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન
  • વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન
    Please install/update and activate JNews Instagram plugin.

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In