ગોકુલધામ નિવાસી અને વરિષઠ પત્રકાર પોપટલાલે કરેલી એક નાની ભૂલને કારણે તેમનો જીવ જોખમમાં મુકાયો છે. બન્યું એવું કે કાળાબજારિયાઓની ગેંગ સામે પોપટલાલનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. ગેંગને જાણવા મળ્યું છે કે પોપટલાલ નાગમણિ નહીં પણ એક પત્રકાર છે અને કાળાબજારી તથા ગેરકાયદે ગતિવિધિઓનો પર્દાફાશ કરવા અહીં આવ્યા છે.
એવું પણ લાગી રહ્યું છે કે પોપટલાલના દિલમાં સંજના માટે કુણી લાગણી છે અને એટલા માટે તેઓ સંજના વિશે કોઈ ખોટી વાતો સાંભળવા માગતા નથી. એટલું જ નહીં, વાત વાતમાં તેઓ સંજના સમક્ષ પોતાની અસલી ઓળખાણ પણ આપી દે છે. આ જાણકારી મળતા ગેંગ સતર્ક થઈ જાય છે. જોકે પોપટલાલને ખબર નથી કે કાળાબજારિયાઓની ગેંગને તેમની અસલિયતની જાણ થઈ ચુકી છે.
કાળાબજરિયાઓની ગેંગ તેમની આડે આવનારાઓનું કાસળ કાઢતા પણ અચકાતી નથી. આવી ખતરનાક ગેંગથી પોપટલાલ પોતાની જાતને બચાવી શકશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. તો શું તારક મહેતા કા ઊલ્ટા ચશ્માના પત્રકાર પોપટલાલ તેમના કાલા કૌવા મિશનને સફળ બનાવવા પોતાના જીવને જોખમમાં મુકશે કે પારોઠના પગલાં ભરશે એ જોવું જાણવું ઘણુ રસપ્રદ બની રહેશે.