કોરોના મહામારીને કારણે અમલમાં મુકાયેલા લૉકડાઉનને કારણે અનેકનો કામધંધો બંધ થતાં સામાન્ય લોકો મુસીબતમાં મુકાયા છે. જોકે આપણા દેશમાં હજુ માનવતાનો દીવો પ્રજ્વલિત છે. અનેક દાતાઓએ આવા પરિવારો ભૂખ્યા ન રહે એ માટે રૅશન કિટનું વિતરણ કરી રહ્યા છે.
આજે પણ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મહારાષ્ટ્ર નવનિર્માણ ચિત્રપટ સેનાનાં જનરલ સેક્રેટરી શાલિનીતાઈ ઠાકરેએ જરૂરિયાતમંદ પરિવારોને રૅશન કિટનું વિતરણ કર્યુ હતું. શાલિનીતાઈએ આ પહેલીવાર મદદનો હાથ નથી લંબાવ્યો મહામારી થઈ ત્યારથી તેઓ રૅશન કિટથી લઈ દવા-ઑક્સિજન સહિતની વસ્તુઓની સહાય પહોંચાડી રહ્યાં છે. તેમના આ કાર્યમાં મનસેના જોઇન્ટ સેક્રેટરી વિશાલ હલદનકર પણ ખભેખભો મેળવી સહાયકાર્યમાં મદદરૂપ થઈ રહ્યા છે.