મુંબઈમાં યોજાતા પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે આઇકન અવૉર્ડની ટ્રોફીનું અનાવરણ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના હસ્તે રાજભવન ખાતે કરવામાં આવ્યું હતું. ૨૪ નવેમ્બરે મુંબઈના અંધેરીમાં આવેલી પેનિન્સુલા ગ્રૅન્ડ હોટેલ ખાતે યોજાનારા ફંક્શનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો, ટેક્નિશયન્સ, મીડિયા પર્સન, એનજીઓ સહિત અન્યોને ટ્રોફી આપી સન્માનવામાં આવશે. એટલું જ નહીં, પહેલીવાર લાઇટમેન અને સ્પૉટબૉયને પણ ટ્રોફી આપી બિરદાવવામાં આવશે.
રાજભવન ખાતે યોજયેલા કાર્યક્રમમાં અવાર્ડ ફંક્શનના સ્થાપક કલ્યાણજી જના, ડૉક્ટર અજય એલ. દુબે, બિઝનેસમેન સુશીલ યાદવ, અભિનેતા ભેરૂ જૈન ઉપસ્થિત રહ્યા હતા.