અનેક સિરિયલ અને ફિલ્મોમાં કામ કરી ચુકેલી જાણીતી અભિનેત્રી એકતા જૈન શૂટિંગ માટે ઋષિકેશ ગઈ ત્યારે કોરોનાના હળવા લક્ષણો હોવાનું જણાતા ટેસ્ટ કરાવ્યો. કોવિડ-19નો ટસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હૉમ ક્વૉરન્ટાઇન થયેલી એકતાએ કોરોનાને લડત આપવાની સાથે આઇસોલેશન દરમિયાન કરેલી પ્રવૃત્તિ વિશે જણાવતા કહ્યું કે, આ સમયગાળા દરમ્યાન મંડલા પેઇન્ટિંગ કર્યું, ઉપરાંત ચાર સ્ક્રિપ્ટ વાચી. મારી પ્રિય બિલાડીઓ સાથે સમય ગાળ્યો અને વિવિધ વાનગીઓ બનાવવાનો શોખ પણ પૂરો કર્યો. આ તમામ પ્રવૃત્તિ કરવાનો ઉદ્દેશ હતો બિમારીનો ભાર દિમાગ પર ન રહે.
આજના સ્માર્ટ ફોનને કારણે પણ ક્વૉરન્ટાઇન દરમ્યાન પણ આપ્તજનો, મિત્રો સાથે લાઇવ કૉન્ટેક્ટમાં રહી શકાય છે. હું પણ ફૅસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચૅટિંગ કરતી અને મારી હતાશાને દૂર કરતી.
જોકે હવે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આવી ભયાનક મહામારીને માત આપી પાછી ફરી એનો મને આનંદ છે અને મને પ્રોત્સાહિત કરનાર તમામનો આભાર માનું છું. એ સાથે હું લોકોને અપીલ કરીશે કે મહામારીથી બચવા તમામ પ્રોટોકોલનું પાલન કરે. સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને માસ્ક હંમેશ પહેરે.
આ બિમારીને માત આપવા માનસિક રીતે મજબૂત બનવું જરૂરી છે. નેગેટિવ વિચારોથી દૂર રહેવાની સાથે હંમેશ સકારાત્મક વિચારસરણી અપનાવે. પૂરતા પ્રમાણમાં ઊંઘ, સ્વાસ્થ્યવર્ધક આહાર, હળવું ગરમ પાણી પીવાની સાથે વારંવાર સાબુથી હાથ ધોવાની ટેવ પાડવી પડશે. તો જ આપણે મહામારીને હરાવી શકશું.