તાજેતરમાં અક્ષય કુમારે ભારતના સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપર લોઢા ગ્રુપ માટે એક ખાસ ઍડ કેમ્પેન શૂટ કર્યું હતું. આ જાહેરાતની શરૂઆત અસાધારણ કહી શકાય એવી છે, પોતાના પરિવારને સ્વર્ગ જેવી સુરક્ષિતતા આપતું ઘર આપવાની સાથે ભારતના નવઘડતરમાં ફાળો આપવાની પહેલ કરવા જણાવે છે. ઉપરાંત એ વાત પર પણ ભાર મુકવામાં આવ્યો છે કે એક ઘર ખરીદનાર દસ કરતા વધુ શ્રમિકોની વાર્ષિક આવક કમાવામાં સહાયરૂપ બને છે. એટલું જ નહીં, કોવિડ-19 વૉરિયરે આપેલા યોગદાનને પણ પીઠબળ પૂરૂં પાડે છે. ગ્રુપને નોંધનીય પ્રતિસાદ મળ્યો છે અને એક હજારથી વધુ ઘરનું વેચાણ લૉકડાઉનના સમયગાળા દરમ્યાન થયું છે.
***