જુનૈદની બૉલિવુડ ડેબ્યુ ફિલ્મ વિવાદના વંટોળમાં સપડાય એવી પૂરી શક્યતા છે. કારણ, ફિલ્મની વાર્તા ૧૮૬૨ના મહારાજ લિબેલ કેસ પર આધારિત પિરિયડ ડ્રામા છે. ફિલ્મમાં જુનૈદ એક વકીલનું પાત્ર ભજવવાનો છે. જાણવા મળ્યા મુજબ ફિલ્મના શૂટિંગ માટે મઢ ખાતે સેટ બનાવવામાં આવશે.
ફિલ્મની વાર્તા મુખિયાજી જદુનાથ બ્રજરતનજી મહારાજે એક જર્નલિસ્ટ કરસનદાસ મૂલજી વિરૂદ્ધ કરેલા કેસ પર આધારિત છે. ગુજરાતી અખબાર સત્યપ્રકાશમાં કરસનદાસે એક લેખ પ્રસિદ્ધ કર્યો હતો. જદુનાથ મહારાજે એને આપત્તિજનક ગણાવ્યો હતો. લેખમાં કરસનદાસે મહારાજના મહિલા અનુયાયીઓ સાથે અનૈતિક સંબંધ હોવાનું જણાવ્યું હતું.