કનોડિયા બંધુઓની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે યોજાઈ રહ્યો છે અદ્ભુત કાર્યક્રમ
આગામી ૨૫ અને ૨૭ ઓક્ટોબરે મહેશભાઈ અને નરેશભાઇ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મહેશ – નરેશ… સ્મૃતિના સથવારે, સંગીતની સફર કાર્યક્રમનું આયોજન અમદાવાદ અને વડોદરા ખાતે કરવામાં આ આવ્યું છે.
આ સંગીતમઢયા કાર્યક્રમનું આયોજન ઈડરના યુવા અને કર્તવ્યનિષ્ઠ ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમ વિશે જાણકારી આપતા કાર્યક્રમના અભિલાષ ઘોડાએ ફિલ્મી એકશનને જણાવ્યું કે, ૨૫ ઓક્ટોબરે અમદાવાદ ખાતે અને ૩૧ ઓક્ટોબરે વડોદરા ખાતે યોજાનારા આ અભૂતપૂર્વ કાર્યક્રમનું આમંત્રણ આપવા હિતુ કનોડિયાના નેતૃત્વમાં આયોજકોનું એક પ્રતિનિધિમંડળ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું.
પ્રતિનિધિ મંડળમાં હિતુ કનોડિયા ઉપરાંત અભિલાષ ઘોડા, ગુજરાતી ફિલ્મ ઇડસ્ટ્રીના જાણીતા નિર્માતા – દિગ્દર્શકો હરસુખ પટેલ, સંજય શાહ ‘જેકી’ ઉત્પલ મોદી, રમેશ પરમાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના મુખ્યપ્રધાની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.