સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ-12ને રોચક બનાવવા મેકર્સ કોઈ કસર છોડતા નથી. દર અઠવાડિયે ઇન્ડિયન આઇડલના સેટ પર કોઈ ને કોઈ મહેમાન સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા આવે છે. આ અઠવાડિયે બૉલિવુડની સદાબહાર અભિનેત્રી રેખા ઇન્ડિયન આઇડલ-12ના સેટ પર આવી હતી.
રેખા બાદ એક ઓર મહેમાન ઇન્ડિન આઇડલમાં આવવાના છે. એ છે ઑસ્કાર અવૉર્ડ વિજેતા એ. આર. રહેમાન. મળતા અહેવાલ મુજબ શોના મેકર્સે એ. આર. રહેમાનને અપ્રોચ કર્યા છે.
રેખા બાદ રહેમાનના આવવાથી કન્ટેસ્ટંટ્સ માટે ખાસ બનશે. પવનદીપ રાજન અને સવાઇ ભાટ સહિત તમામ સ્પર્ધકોને રહેમાન સમક્ષ તેમની કલા દર્શાવવાનો મોકો મળશે. જોકે આ અંગે ચૅનલ દ્વારા કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.
એ. આર. રહેમાન ભાગ્યે જ કોઈ રિયાલિટી શોમાં આવતા હોય છે. રહેમાન પહેલાં ઇન્ડિયન આઇડલ 12માં રેખા, આશા પારેખ, હેમા માલિની, નીતુ સિંહ, ધર્મેન્દ્ર અને સુભાષ ઘઈ જેવી સેલિબ્રિટી આવી ગઈ છે.
ઇન્ડિયન આઇડલ-12ના હૉસ્ટ આદિત્ય નારાયણને કોરોના વાઇરસ થયો હોવાથી રિયાલિટી શોમાંથી ગાયબ છે. આદિત્ય નારાયણના સ્થાને જય ભાનુશાળીએ ઇન્ડિયન આઇડલ-12ના હૉસ્ટની કમાન સંભાળી છે.આદિત્ય નારાયણની સાથે એની પત્ની શ્વેતા અગ્રવાલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.