તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ આજકાલ સિંગાપોરમાં શૂટિંગ કરી રહી છે. સિરિયલના નિર્માતા આસિતકુમાર મોદી કહે છે કે, અમે સિંગાપોરને શૂટિંગ એટલા માટે પસંદ કર્યું કેમ કે મોટા ભાગના લોકોને એના ટુરિઝમના સ્થળો વિશે ખાસ જાણકારી નથી. અમે ક્રુઝની પણ સફર કરશું. આ પૂરો ટ્રેક મજેદાર બનશે અને દર્શકોને ઘણો પસંદ પડશે.
કદાચ પોપટલાલને અહીં એમની જીવનસાથી મળી શકે છે. ને કદાચ એવું પણ બને કે એ એમના બ્રહ્મચર્ય જીવનથી એટલા ખુશ થાય કે હંમેશ માટે લગ્ન કરવાની અચ્છાને ત્યજી દે.